જો આ સમાચાર સાચા હોય તો કચ્છ બહાર વસતા કચ્છી ઉદ્યોગપતિ કચ્છમાં સોનાના દિવસો લાવવા કટ્ટીબધ્ધ બને
હાલ થોડા દિવસો પગેલા જ મા ન્યૂઝે એક વિશેષ અહેવાલના માધ્યમથી જણાવ્યુ હતું કે મુંબઈ વસતા ગારમેન્ટના કચ્છી વેપારીઓએ ચાલો કચ્છનો મંત્ર અપનાવ્યો છે ત્યારે વર્તમાને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજ મુજબ આવનારા સમયમાં કચ્છમાં પાંચ લાખ કચ્છીઓ વતન વાપસી કરશે અને સાથે સાથે જેમાં પ્રથમ ખેતી, પશુપાલન અને નાના ગૃહ ઉધોગ શરુ કરવામાં આવશે,
જેમાં જણાવ્યા મુજબ ભચાઉને ગારમેન્ટ ઝોન, તેવી રીતે નેત્રા વિસ્તારને એગ્રો પાર્ક બનાવવાની ગોઠવણ ચાલી રહી છે અને કચ્છને ઝોન વાઇઝ વિકાસ કરવાની ગોઠવણ ચાલુ છે આ માટે નખત્રાણા, અબડાસા, લખપતના બહાર વસતા કચ્છીઓ નો સંપર્ક ચાલુ છે જેને બહુ પ્રતિસાદ મળ્યો છે. આ માટે મુબઈ, વાપી, વલસાડ, અમદાવાદ, હિંમતનગર, રાજકોટ, જામનગર, પુના, કોલ્હાપુર, નાશીક, બેંગલોર, કોલ્હાપુર, સાંગલી, કોઈમબતુર, કોચીન ના દરેક સમાજ ના કચ્છીઓનો સંપર્ક ચાલુ છે જેમાં દરેક સમાજના વ્યકિતઓ જેમાં રથી મહારથીઓ, અને ઉધોગપતિઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે, કચ્છ વિશ્વ વિખ્યાત બંને આત્મનિર્ભર બને અને મા. મોદી સાહેબની ભારત સ્વપ્નની શરૂઆત કચ્છ મોડલથી થાય એ દિવસો દુર નથી.