સંસ્થાઓને વધારાની જમીન લેવા અને ખેડુત હક્ક આપવા તારાચંદ છેડાનો મુખ્યમંત્રીને પત્ર

Contact News Publisher

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌશાળા પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા માટે લીધેલા નિર્ણયોને કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ આવકાર સાથે અભિનંદન આપ્યા છે.

જીવદયાની સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાએ ગૌશાળા પાંજરાપોળોને જમીન સંદર્ભે પડી રહેલી મુશ્કેલી અંગે મુખ્યમંત્રી વિજયભાઈનું ધ્યાન દોરતો પત્ર લખ્યો છે. જે પત્રમાં વરિષ્ઠ નેતા તારાચંદ છેડાએ જુના પરિપત્ર અનુસાર ગૌશાળા પાંજરાપોળને જમીન તેમના નામે કરવાની સંસ્થાઓના સંચાલકોને મહેસુલી અધિકારીઓ દ્વારા ના પાડી અરજી ફાઈલ કરી દેવાઈ હોવાનો જવાબ અપાયો છે. હવે, આ બાબતે પુન: વિચાર કરીને સરકાર દ્વારા પાંજરાપોળ ગૌશાળાને નવી જમીન લેવા માટેની મંજુરી તેમ જ ખેડુત હક્ક સાથે એ જમીનો ગૌશાળા પાંજરાપોળોને નામે કરી દેવા રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News