માધાપરમા મધરાત્રીના નિશાચરો ત્રાટક્યા : આર્મીમેનના ઘરેથી ૨.૫ લાખની ઘરફોડી
કચ્છમાં જેમ જેમ શિયાળો પોતાની પકડ જમાવતો જાય છે તેમ તેમ નિશાચરો વધુ સક્રિય બનતા જય રહ્યા છે, ગત રોજ મધ્યરાત્રિના માધાપરના જલારામધામ, મહાદેવ હિલ્સ વિસ્તારમાં ત્રણ ઘરના તાળાં તૂટતાં આર્મીમેનના ઘરેથી અંદાજિત ૨.૫ લાખના ચાંદીના ઘરેણાંની તસ્કરી થયી હોવાનું પ્રાથમિક વિગતોમાં ખુલવા પામ્યું છે.
આ બાબતે વિશ્વનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ માધાપરના જલારામધામ, મહાદેવ હિલ્સ, કેસર બાગ રોડ પાસેના રહેણાંક વિસ્તારમાં આવેલા ત્રણ મકાનોમાં નિશાચરોએ ખાતર પડી તાળાં તોડ્યા હતા જે પૈકી લગ્ન પ્રસંગે ગયેલા આર્મીમેન નરેન્દ્ર કે. સિંગના ઘરમાંથી અંદાજિત ૨.૫ લાખની કિમતના ચાંદીના ઘરેણાં ચોરી થયા હોવાનું બહાર આવ્યું છે તો બાજુમાં જ આવેલા હિરેનભાઇ ઠક્કર તેમજ વિનોદભાઇ ગેલાના મકાનોના પણ તાળા તોડી તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.