કચ્છમાં દિવસના ભાગે પવનચકકીના ભારે પાંખડાનું વહન કરતા વાહનો યમદૂત સમાન
Contact News Publisher
કચ્છમાં પાછલા કેટલાક સમયથી પવનચક્કીનું કાયદેસર રાજ બેસું ગયું છે જે કારણોસર અનેકવિધ પક્ષીઓ પોતાનો જીવ ખોઈ બેઠા છે અને હવે વારો છે લોકોને જીવ ખોવાનો કેમ કે જે રીતે ધોળા દિવસે પવનચકકીના ભારે પાંખડાનું વહન કરતા વાહનો અચાનક રસ્તાઓ પર ઢળી રહ્યા છે તે જોતાં લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવી શકે છે.
141
આ બાબતે જાગૃત નાગરિક એવા બાપા સીતારામ ડેવલોપમેંટ ટ્રસ્ટના ચેરમેન કે. ડી. જાડેજાએ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને કરેલી લેખિત અરજીમાં આવા પવનચકકીના ભારે પાંખડાનું વહન કરતાં અને બેદરકારી પૂર્ણ ચાલતા વાહનો સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે,
જેથી કોઈ અનિચ્નિય બનાવને બનતો અટકાવી શકાય.