ધામળેજ ગામે સમસ્ત ગામ દ્વાર મગાજડી ભવાની મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત પારાયણ સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

ગીર સોમનાથ :- સુત્રાપાડા

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે સમસ્ત ગામ દ્વાર મગાજડી ભવાની મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત પારાયણ સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમ માં પાધેશ્વરી આશ્રમ મંહત ઉપવાસી કરસનદાસબાપુ, સાંસદ, ધારાસભ્ય, સહિતના આગેવાનો રહિયા ઉપસ્થિત..

ગીર સોમનાથ જીલ્લા ના ધામળેજ ગામે સમસ્ત ગામ દ્વારા શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ દેવી ભાગવત સપ્તાહ માં આજુબાજુ ના વિસ્તાર ના અને તાલુકા ભરમાંથી ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ભક્તિમય માહોલ સાથે દેવી ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે

જ્યારે આ દેવી ભાગવત સપ્તાહ માં કાશીના વિદ્વાન પુરાણાચાયૅ શ્રી ક્રિષ્નપ્રસાદ જાની આચાર્ય જેઓ શ્રી સંપૂર્ણ નંદ વિશ્વ વિધાલય કાશી દ્વારા વ્યાસપીઠ પર થી સંગીત મય સેલી માં ભજન કીર્તન નું રસપાન કરાવી રહિયા છે ત્યારે શ્રોતાઓ ભક્તિમાં તરબોળ થયા હતા

આ દેવી ભાગવત સપ્તાહ માં ભજન કીર્તન અને ભોજન પ્રસાદના ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં લોકો ઉત્સાહ સાથે લાભ લઇ રહિયા છે

ત્યારે આજ ના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ દેવી ભાગવત સપ્તાહમાં ધામળેજ ગામ મા હાલ ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે દરેક સમાજના યુવાનો વડીલો દ્વારા આ કાર્યને દીપાવવા ખૂબ સહકાર આપવામાં આવી રહીયો છે‌

તેમજ આ દેવી ભાગવત સપ્તાહમાં રામા મંડળ, લોકડાયરો, સંતવાણી, રૂક્ષ્મણી વિવાહ, નંદ ઉત્સ, ગોવર્ધન લીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ રોજ આયોજન થાય છે. ત્યારે આજે મુખ્ય મહેમાન તરીકે શ્રી પાઘેશ્વરી આશ્રમ ના મહંત કરસનદાસ બાપુ ઉપવાસી તથા જુનાગઢ ગીર સોમનાથ ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, તેમજ તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા જીલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ મંત્રી ધીરુભાઈ સોલંકી, જ્યારે કોડીનાર થી બ્રહ્મ સમાજ ના આગેવાનો, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત ના સદસ્યો,તથા પત્રકાર મિત્રો, સહિતના આગેવાનો,યુવાનો, ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ :-

શૈલેષ વાળા – ગીર સોમનાથ

Maa News Live

9725206123 – 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News