કચ્છમાં આગામી મહિનાથી ભુજથી બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ શરૂ થશે
દેશના પશ્ચિમી ખૂણે આવેલો કચ્છ જિલ્લાએ પરિવહનની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. આજે અહીં માર્ગ પરિવહન ઉપરાંત રેલ પરિવહન અને હવાઈ પરિવહન પણ સારી રીતે વિકસ્યું છે. તો સમયની સાથે હવાઈ સેવામાં વધારાની માંગ પણ થતી આવે છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં વચ્ચેની સેવા વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આવતા મહિનાથી ભુજથી અમદાવાદ સુધી પ્લેન શરૂ કરવાની જાહેરાત સ્ટાર એર દ્વારા કરાઈ છે.
કચ્છમાં ઉદ્યોગો વધતા અને કચ્છીઓ પણ દેશ વિદેશના વિવિધ ખૂણાઓ પર સ્થાયી થતાં ભુજથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મથકોને જોડતી ફ્લાઇટમાં વધારો કરવાની માંગ સતત થતી આવે છે. તેવામાં કંડલા એરપોર્ટ શરૂ થયા બાદ ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા દિવસે ને દિવસે ઓછી થતી હતી. દૈનિક ઉડાન ભરતી ભુજ મુંબઈની ફ્લાઇટ પણ હાલ અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કાર્યરત છે, તો દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવા પણ અનેક રજૂઆતો થઈ હતી.
પણ આખરે સ્ટાર એર કંપની દ્વારા આગામી જૂન મહિનાની 3 તારીખથી ભુજથી અમદાવાદ અને ત્યાંથી બેલગામ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેની ચોક્કસ માહિતી કંપની તરફથી આપવામાં આવી હતી. 50 સીટર એમ્બેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે. સોમવાર તેમજ બુધવારથી શનિવાર આ ફ્લાઇટ અમદાવાદથી ભુજ આવશે તો તે જ દિવસે પરત અમદાવાદ પણ જશે. તો સાથે જ બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો બેલગામ સુધીનું પ્રવાસ પણ કરી શકશે.
29 thoughts on “કચ્છમાં આગામી મહિનાથી ભુજથી બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ શરૂ થશે”