કોંગ્રેસની પારંપરિક વોટબૅન્કને ખેંચી લેવા કેજરીવાલના પ્રયાસ : ”આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે”
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે માત્ર એક અઠવાડિયું બાકી છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારોએ જીત માટે એડિચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે. આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયા શેર કરીને કોંગ્રેસ સમર્થકોને અપીલ કરી છે. જેમાં તેમણે કોંગ્રેસને વોટ આપવાને બદલે AAPના ઉમેદવારને વોટ આપવા અપીલ કરી છે.
વીડિયોમાં કેજરીવાલે જણાવ્યું છે કે, ‘કોંગ્રેસને વોટ આપવાનો અર્થ વોટ બગાડવો થાય છે. આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની નથી. આ વખતે કોંગ્રેસને 5થી પણ ઓછી બેઠક મળવાની છે. કોંગ્રેસની સીટ પરથી જીત મેળવેલા તમામ ધારાસભ્યો પણ ભાજપમાં જતા રહેશે. આ વખતે આમ આદમી પાર્ટીનો માહોલ છે. જો તમારો મત આમ આદમી પાર્ટીને મળી જાય તો આ આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે.’
વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે. જેથી તમે પણ ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો. આમ આદમી પાર્ટીને મત આપો.’
piano jazz