UPમાં નરાધમ અનિસનું એન્કાઉન્ટર: ટ્રેનની અંદર મહિલા સિપાહીને કરી હતી લોહીલુહાણ, ક્રોસ ફાયરિંગમાં થયું મોત

Contact News Publisher

તાજેતરમાં જ મહિલા કોન્સ્ટેબલ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ મુખ્ય આરોપી પોલીસ અને STF દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. વિગતો મુજબ મુખ્ય આરોપી અનીસ અયોધ્યાના પુરા કલંદરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અનીસનું મોત ક્રોસ ફાયરિંગમાં થયું હતું.  અયોધ્યાના ઇનાયત નગરમાં એન્કાઉન્ટર બાદ અનીસના અન્ય બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલા ગુનેગાર અનીસના અન્ય બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ ઉર્ફે લલ્લુ ઘાયલ થયા છે. મુખ્ય આરોપી અનીસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી રહ્યો હતો. જ્યારે મહિલા કોન્સ્ટેબલે બદમાશને નીચે પછાડ્યો ત્યારે ત્રણ બદમાશોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો અને તેનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો. બદમાશોએ મહિલાનું માથું ટ્રેનની બારી પર માર્યું હતું જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે ટ્રેન અયોધ્યા સ્ટેશન પહોંચતા પહેલા ધીમી પડી ત્યારે ત્રણ બદમાશો ભાગી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલ સામેની આ નિર્દયતા બાદ યુપી એસટીએફ અને અયોધ્યા પોલીસે મહિલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનાર ગુનેગારને મારી નાખ્યો જ્યારે બે અન્યની ધરપકડ કરવામાં આવી છે.