વેકરીયા રણમાં અજાણ્યા વાહનની હડફેટે ધોરાવરના યુવાનનું મોત

Contact News Publisher

ભુજ-ખાવડા માર્ગ પર વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ધોરાવરના બાઈક ચાલક યુવાનનો મોત થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસ મથકે ફરિયાદી હુસેનભાઈ મનોરભાઈ સમાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ ભુજમાં ચુટક મજુરી કરતો તેમનો કાકાનો દીકરો ઇલીયાસ ઓસમાણ સમા પોતાનું બાઈક લઇ જતા હતા.એ દરમિયાન વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર માટે ખાવડા સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.