અકસ્માતથી ગુજરાત કંપી ઉઠ્યું: આજના દિવસમાં કુલ 14 લોકોનાં મૃત્યુ

Contact News Publisher

આજે રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર અકસ્માતમાં કારમાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા છે. તો દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થેયલાં અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. તો મોરબી જિલ્લાના માળિયાના ત્રણ પદયાત્રીઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે થયેલાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. ત્રણ ઇજાગ્રસ્ત થયો છે. સાતેય યુવક પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યુ હતુ.