લખપતના ગુનેરી ખાતે ટાંકા માં પડી જવાથી બાળકનું મોત..
Contact News Publisher
જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર લખપત તાલુકાના ગુનેરી ખાતે રહેતા નવઘણજી જાડેજાનો ચાર વર્ષીય બાળક લક્ષ્મણસિંહ કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘર માંથી નાની વયના બાળક સાથે આવી કરુણ ઘટના ઘટતા સમગ્ર પરીવાર સાથે ગામ માં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અહેવાલ અને તસ્વીર-હિતેશ જોશી લખપત