માધાપર ની ૧૬ વર્ષીય સગીરા પર બળાત્કાર..
Contact News Publisher
મળતી વિગતો અનુસાર માધાપર ખાતે સ્વામિનારાયણ નગર, સથવારા ફળીયું, જૂનાવાસ ખાતે રહેતી એક સગીરા પર એક નરાધમે બળાત્કાર ગુજ્રાયો હતો. અહી નો જ રહેવાસી એવો વિનોદ રમેશ સથવારા એ આ સગીર વયની બાળકીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે તેનું અપહરણ કરી જઈ અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ચોકાવનારો કિસ્સો પ્રકાશ માં આવતા ચકચાર મચી ગઈ હતી. સગીરાના પિતા એ ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ન્યાય ની માંગણી કરી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ આગળ વધારી છે. અહેવાલ-કિરણ ગોરી