વડોદરાના માંજલપુરમાં મિત્રની ચાકુના ઘા મારી હત્યા કરનાર મિત્ર રેલ્વે સ્ટેશન પરથી ઝડપાયો

Contact News Publisher

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસે એક ઓરડીમાં રહેતા પરપ્રાંતીય મિત્રની ચાકુના ઘા મારી હત્યા કરનાર તેના જ મિત્રોને રેલવે સ્ટેશન પરથી ઝડપી પડાયો છે. બંને યુવકો મૂડ આસામના હતા અને એક મહિના પહેલા જ કામ કરવા માટે વડોદરા આવ્યા હોવાનું જણાવ્યું છેમાંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા પાસે કોર્પોરેશનના બાગની સામે એક ઓરડીમાં રહેતા એક યુવાન તેજલ એહમલ તેના જ મિત્ર સૈફુલ ઇસ્લામ દ્વારા ગળા તેમજ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના આવ્યો હતો. યુવકની હત્યાના બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા  હતાં અને તપાસ શરૂ હતી.જેના બન્ને યુવકો મૂળ આસામના છે અને એક મહિના પહેલાં જ વડોદરા કામ માટે આવ્યા હતા અને માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સાથે નોકરી કરતાં હતાં. દરમિયાન શુક્રવારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેમાં સૈફુલ ઇસ્લામ તેના મિત્રની હત્યા કરી ભાગી જવાની ફિરાકમાં હતો. જેથી તપાસ કરતા હત્યતારાનું લોકેશન રેલ્વે સ્ટેશન નું બતાવતા તાત્કાલિક રેલ્વે પોલીસે તેને ઝડપી પાડવા માટે કહ્યું હતું. જેથી તેને રેલવે સ્ટેશન સ્થળ  પર પહોંચી તેને ઝડપી પાડી માંજલપુર પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.