રિવરફ્રન્ટ મર્ડર કેસમાં નવો વળાંક: એક મિત્ર રિસાયો, બીજો શોધવા નીકળ્યો; એકની હત્યા ગોળીથી તો બીજાનો મૃતદેહ વિરમગામમાંથી મળ્યો

Contact News Publisher

અમદાવાદ રિવરફ્રન્ટ પર મંગળવારે એક યુવકની હત્યાની ઘટનાને કારણે ચકચાર મચી ગઈ હતી. આ તરફ હવે આ કેસમાં અનેક નવા ખુલાસા થયા છે. અમદાવાદ અને  વિરમગામમાં થયેલી હત્યા વચ્ચે કનેક્શન મળી આવ્યું છે. વિગતો મુજબ 30 ઓક્ટોબરે વિરમગામથી મળેલો મૃતદેહ રવિન્દ્ર લુહારનો હોવાનો ખુલાસો થયો છે. તો રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બન્ને મિત્રો હોવાની માહિતી સામે આવી છે. રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. જોકે હવે સ્મિત ગોહિલની પણ હત્યા થઈ જતાં પોલીસે આ મામલે ત્રીજા મિત્ર યશ રાઠોડની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Exclusive News