વડોદરાના મકરપુરા રોડ પર રેસ્ટોરાંમાંથી બાળમજૂરનું રેસ્ક્યુ કરાયું
Contact News Publisher
વડોદરાના મકરપુરા રોડ વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરાંમાં બાળ મજુર પાસે કામ કરાવવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે એક સગીરને છોડાવી માલિક સામે ગુનો નોંધ્યો છે.મકરપુરા સુસેન ચાર રસ્તા પાસે મારુતિ ધામમાં આવેલા વિષ્ણુ તવા ફ્રાયમાં સગીર પાસે કામ કરાવી તેનું શોષણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડ્યો હતો.પોલીસે એક બાળમજૂરને છોડાવી સંચાલક જય વિષ્ણુ ઠાકોર શાહપુરા ગામ-સુંદરપુરા પાસે તાલુકા-વડોદરા સામે ગુનો દાખલ કર્યો છે.