ક્લોલમાં 70 હજારનું વ્યાજ ન આપી શકતા આધેડે મોત વ્હાલું કર્યું! ભાવનગરમાં 2.80 લાખના 11 લાખ દેવાના થતાં યુવકે એસિડ ગટગટાવ્યું
કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં વ્યાખોરનાં ત્રાસથી બબાજી ઠાકોરે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ, આ બાબતે મળતી માહિતી મુજબ બબાજીએ વ્યાજમાં 20 થી 70 હજારની રકમ 10 ટકા વ્યાજે લીધી હતી. વ્યાજ આપી ન શકતા વ્યાજખોર દ્વારા અવાર નવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જે પૈસા આપી ન શકતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં પણ વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં મનસુખભાઈ બારૈયા નામનાં વ્યક્તિએ વ્યાજખોરનાં ત્રાસથી એસિડ પીધું હતું. મનસુખભાઈએ 4 વર્ષ પહેલા 2.80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ રૂા. 11 લાખની માંગમી કરી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે હોઈદડ ગામનાં વ્યાજખોર પિતા-પુત્ર સામત ખરગસીયા, જયેશ ખરગસીયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 24 નવેમ્બરની ઘટનામાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે.
1 thought on “ક્લોલમાં 70 હજારનું વ્યાજ ન આપી શકતા આધેડે મોત વ્હાલું કર્યું! ભાવનગરમાં 2.80 લાખના 11 લાખ દેવાના થતાં યુવકે એસિડ ગટગટાવ્યું”
Comments are closed.