મકાન ધરાશાયી થતાં ઘાયલ દર્દીઓની સારવારની બાબતે સિવિલમાં હોબાળો મચ્યો છે
Contact News Publisher
નડિયાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન મકાન ધારાશાયી થવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની યોગ્ય સારવાર ના આપવા મામલે ભીંસમાં મુકાયું છે. દર્દીઓની યોગ્ય તપાસ કરવાને બદલે માત્ર પ્રાથમિક સારવાર આપી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ દર્દીઓને વધારે નુકશાન થયું હોવાની અસર જણાતા પુનઃ સિવિલમાં સારવાર માટે જતા તેમની સારવાર કરવામાં ન આવી હોવાથી મામલો ગરમાયો હતો. આ દરમિયાન મોડી સાંજે નડિયાદ કોંગ્રેસના અગ્રણીઓ પણ સિવિલમાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.