અમદાવાદમાં મહિલાએ દીકરા, દીકરી અને પૌત્ર સાથે સાબરમતીમાં લગાવી છલાંગ, જુઓ પછી શું થયું

Contact News Publisher

અમદાવાદમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ નદીમાં ઝપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડને માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદ લઈને તમામને નદીની બહાર કાઢ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી

અત્રે જણાવીએ કે, શહેરના ડૉ.આંબેડકર સાહેબ બ્રિજ પાસે ચંદ્રનગર તરફનો આ બનાવ છે. સમગ્ર બાબતને લઈ પોલીસને જાણ થતાં તે પણ પરિવારનું નદીમાં પડવા પાછળના કારણને લઈ તપાસ હાથ ધરી છે. જો કે, ચર્ચા એવી પણ છે કે, પતિના ત્રાસથી આ પગલું ભર્યું હતું