વિંઝાણ ચિટિંગ કેસ :મુંબઈ નિવાસી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન ના માલિક ભદ્રેશ વસંતરાય મહેતાનાં આગોતરા નામંજૂર
Contact News Publisher
વિંઝાણ ના વૃજ કુંવર જેઠુજી જાડેજા જે ૧૯૮૮ માં મૃત્યુ પામેલ હતા તેમના નામે ૨૦૧૪ માં ૮૨૦૦૦૦૦ રૂપિયા બ્યાસી લાખ ની લોન લેવામાં આવેલ જે બાબતે તેમના પુત્ર એ સી.આઈ.ડી. ક્રાઈમ માં ફરિયાદ નોંધાવતા એફ.આઈ.આર. દાખલ થયેલ જેમાં આરોપી તરીકે જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરા) તેના ભાણેજ કુશલ મુકેશ ઠક્કર, કમલેશ ઠક્કર કે જે અર્પિત ઇન્ટરનેશનલ તથા તપાસ માં બહાર આવેલ તે મુંબઈ નિવાસી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન ના માલિક ભદ્રેશ વસંતરાય મહેતા, પાર્થ ભદ્રેશ મહેતા, હીના ભદ્રેશ મહેતા નું નામ આવતા તેમણે સેસન્સ કોર્ટ માં આગોતરા જામીન અરજી કરેલ હતી, જેમાં દલીલો ચાલતા તેમના વિરુધ ચુકાદો આવેલ અને આગોતરા જામીન નામંજુર થયેલ હતા. જેમાં સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામી એ દલીલો કરેલ હતી.