વાગડની તળપદી ભાષામાં હનુમાનજી ભગવાનને ગાળો બોલતાં બે શખ્સોનો વિડીયો વાયરલ

Featured Video Play Icon
Contact News Publisher

છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ધાર્મિક હુમલાનાં બનાવો બહાર આવી રહયા છે.
કચ્છ બહારથી આવતાં માનસિક વિકૃત ,અસામાજિક તત્વો અને કોઈકના રવાડે ચડેલા લોકો કચ્છની એકતા, કચ્છની સદભાવના અને કચ્છની સંસ્કૃતિ ઉપર હુમલો કરી રહ્યા છે.
કચ્છના લોકોની જવાબદારી બને છે કે આવા તત્વોને ઉઘાડા કરી દે ,એમને સહકાર ન આપે ,એમને આશરો ન આપે .
કચ્છ વર્ષોથી એક અલગ પ્રદેશ રહ્યો છે, કચ્છ વિવિધતામાં એકતા ધરાવતો પ્રદેશ રહ્યો છે ,ત્યારે બહારના અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકો, કચ્છની આધ્યાત્મિક, ધાર્મિક અને સંસ્કૃતિ ઉપર હુમલો કરવાના ઇરાદાથી ,એમાં તિરાડ પાડવાના આશયથી ,કચ્છની ભોળી પ્રજાના માનસમાં ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે .
ત્યારે એને ખુલ્લા પાડવાની જવાબદારી પણ કચ્છી લોકોની છે ,આવો સૌ સાથે મળી આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો ને ઉજાગર કરી એનો પર્દાફાસ કરીએ.

Youtube : maa news live
Android app : maa news
Whatsapp : 94287 48643
97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *