પાક. ની 111 બ્રીગેડ કચ્છ સરહદની સામેપાર તૈનાદ : નવાજુની થવાના એંધાણ
Contact News Publisher
એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે તંગ માહોલ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાનને અમેરીકા સહિતના દેશોમાંથી જાકારો મળ્યો છે. તેવામાં પાકના આર્મી ચીફ બાજવાની નીગરાની વાળી 111 બ્રીગેડની કચ્છ સરહદની સામેપાર હાજરી કંઇક નવાજુની થવાના એંધાણ દેખાડી રહી છે.
પાકિસ્તાન જે રીતની ગતિવિધીઓ કચ્છ સરહદની સામે અખ્તયાર કરી રહી છે તે જોતાં કાશમીર સરહદે તૈનાત સુરક્ષા દળોનું ધ્યાન ભંગ કરવા પાકિસ્તાન કચ્છમાં કાંકરીચાળો કરે તેવી શકયતાને નકારી શકાતી નથી. એટ્લે જ ભારતિય સુરક્ષાદળોને વધુ સતર્ક કરી દેવાયા છે.