ભારત ઉપર ૨૬/૧૧ જેવો તોળાતો ભયાનક હુમલો

Contact News Publisher

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ બદલો લેવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાક સેના ભારતમાં કોઈપણ ભોગે આતંકી હુમલો કરવા માગે છે. આતંકીઓ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ જેવો હુમલો કરવાની વેતરણમાં છે.

આઈએસઆઈ અને પાક સેનાએ આતંકી સંગઠન જૈશ ઉપરાંત પાકમાં બેઠેલા ઈન્ડીયન મુજાહીદીનના ફાઉન્ડર સભ્ય ભટકલ બંધુઓને ભારતમાં આતંકી હુમલો કરવા માટે કડકાઈથી જણાવ્યુ છે. ગુપ્તચર વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે હુમલાને અંજામ આપવા માટે ભટકલ બંધુ આજમગઢ મોડયુલનો સહારો લેશે. એવા પણ ઈનપુટ મળ્યા છે કે પાકિસ્તાનથી કેટલાક ત્રાસવાદીઓ ભારતમાં ઘુષણખોરી કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીયાલ ભટકલ અને ઈકબાલ ભટકલ ૨૦૦૮થી પાકિસ્તાનમાં છુપાયા છે. તેમને આઈએસઆઈ અને પાક સેના સુરક્ષા આપે છે. આ બન્ને ઈન્ડીયન મુજાહીદીનના ફાઉન્ડર સભ્ય છે. સ્પેશ્યલ સેલના એક વરિષ્ઠ પોલીસના જણાવ્યા પ્રમાણે ભટકલ બંધુઓને હુમલો કરવા માટે નેટવર્ક ઉભુ કરવા જણાવાયુ છે. અત્યાર સુધી પાકિસ્તાને ઘણા પ્રયાસ કર્યા પરંતુ સફળ રહ્યા નથી તેથી જૈશ સાથે ભટકલ બંધુઓને પણ આ વખતે જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News