ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે

Contact News Publisher

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે.
માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે.

ભુજવાસીઓ દ્વારા માનવજ્યોત સંસ્થાને પુષ્કળ પ્રમાણમાં જુના વ†ો લોકોએ આપ્યા છે. જેથી ભુજની ચારે દિશાઓમાં વિતરણ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે જઇ ચાલી રહ્યું છે. મજુર-ગરીબ અને શ્રમજીવી વર્ગ દિપાલીપર્વ ખુશી અને આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. અનેક પરિવારો જુના કપડા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News