ગાંધીધામમાં ગેસનો બાટલો ફાટતા એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ

Contact News Publisher

ગાંધીધામ ઓસલો સર્કલ નજીક રહેણાકના મકાનમાં ગેસની બોટલ ફાટતા એકજ ઘરનાં ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં જેમાં એક મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે.

આજે સવારે બનેલી આ ગોઝારી ઘટનાની મળતી વિગતો મુજબ ઓસલો સર્કલ નજીક સેકટર 4 પ્લોટ નંબર 109 માં રહેતા અન્જુબેન પરમાર,રાજુભાઈ પરમાર,મહેશભાઈ પરમાર,તેજાભાઈ પરમારનો સમાવેશ થાય છે તેઓને પ્રાથમિક સારવાર માટે નજીકની સરકારી રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાનાં કારણે તેઓ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ ને જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *