હર હર મહાદેવ! શિવજી જાતે કરી રહ્યા છે ઉતરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરોની રક્ષા? ગેટ પર જોવા મળી કૈલાશપતિની આકૃતિ
ઉત્તરકાશીમાં મોટી ટનલ દુર્ઘટના સર્જાઇ હતી જેને લઈને છેલ્લા 16 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે. સરકારના તમામ પ્રયાસો છતાં મજૂરોને બહાર કાઢવામાં હજુ સુધી સફળતા મળી નથી. આવી સ્થિતિ વચ્ચે દુર્ઘટનાને લઇ મંદિરોમાં ભોલેનાથની પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે સવારે ટનલના પ્રવેશ દ્વાર પર ભગવાન શિવની આકૃતિ સર્જાઇ હતી. જેને લઈને મજૂરોને જે બચાવવા જાણે ભોલેનાથ ખુદ અહીં પહોંચ્યા હોય તેવી પ્રતિકૃતિ સર્જાઈ હતી.
ઉત્તરકાશીના સિલક્યારા ટનલ જેમાં 41 મજુરો છેલ્લા 15 દિવસથી ફસાયેલા છે. જેને બચાવવા માટે સરકાર દ્વારા લાખો વખત કોશિષ કરવામાં આવી હોવા છતા અત્યાર સુધી મજુરોને બહાર કાઢી શકાયા નથી.. ત્યારે હવે આ મજુરોની સુરક્ષા કરવા માટે ખુદ ભોલેનાથ પહોચીં ગયા છે. સોમવારે આ ટનલમાંથી એક સુખદ અને ખુબ જ સરસ તસવીર સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાઈ છે કે ભગવાન શિવજી તાંડવ મુદ્રામાં છે અને મજુરોને બચાવવા માટે ખુદ તૈઓ કૈલાશ પરથી સિલક્યારા પહોંચ્યા છે.