વરસાદને પગલે કચ્છના ૧૩૦ ગામોમાં અંધારપટ

Contact News Publisher

કચ્છમાં ભારે વરસાદને પગલે વીજપુરવઠાને ભારે અસર પહોંચી છે, તો બીજી તરફ ભુજના 36, અંજારના 69 એગ્રીકલ્ચર ફિડર ને પણ નુકશાન થવા પામ્યું છે.
આ બાબતે મળતી વિગતો મુજબ છેલ્લા ત્રણથી ચાર દિવસથી કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા અવિરત રહેલા વરસાદને પગલે વરસાદના કારણે પીજીવીસીએલને ભારે નુકસાન થયું છે. જેના અનુસંધાને ભુજના 71 ગામ, અંજારના 59 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે, આમ પીજીવીસીએલને ગત રોજ પડેલા ભારે વરસાદને પગલે નુકસાન થયું છે. હાલ ગ્રાહકોને વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે વીજ કર્મીઓ ખડેપગે રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News