કચ્છના લખપત નજીક અજાણી મહિલા હત્યા કરેલી દાટેલી લાશ મળતાં ચક્ચાર

Contact News Publisher

કચ્છના છેવાડાના લખપત તાલુકાના સિમાડે આવેલા ગુનેરી નજીક અજાણી મહિલાની મળેલી લાશે ચક્ચાર સાથે ચર્ચા સર્જી છે.

ગુનેરી અને ઉમરસર ગામની વચ્ચે સીમમાં ઢોર ચરાવી રહેલા માલધારીએ આ અંગે ગામ લોકોને જાણ કરી હતી. તેને પગલે દયાપર પીએસઆઈ ગહેલોત તેમ જ નખત્રાણા ડીવાયએસપી યાદવ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અર્ધ દાટેલી લાશની નજીક ચંપલ, પાણીની બોટલ પડી હતી. ડીવાયએસપી યાદવે આ બનાવ હત્યાનો હોવાનું જણાવી વધુ તપાસ હાથ ધરી છે. લાશનું પીએમ કરી ઓળખવિધિની પ્રક્રિયા દયાપર પોલીસે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બહુ મર્યાદિત વસ્તી ધરાવતા આ નાના વિસ્તારમાં અજાણી મહિલાની મળેલી લાશે ચક્ચાર સાથે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઓળખવિધિની પ્રક્રિયા બાદ જ જાણી શકાશે કે મૃતક મહિલા કોણ હતી અને અને કેવા સંજોગોમાં હત્યા થયી.

1 thought on “કચ્છના લખપત નજીક અજાણી મહિલા હત્યા કરેલી દાટેલી લાશ મળતાં ચક્ચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News