ધાંગધ્રા-સામખ્યાલી સેક્શન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે કચ્છના રેલ્વે તંત્રને થશે અસર

Contact News Publisher

અમદાવાદ ડિવિઝનના ધાંગધ્રા-સામાખ્યાલી સેકશનના સુરવરી, માલિયા મિયાના અને ધાંગધ્રા સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 04311 બરેલી-ભુજ સ્પેશિયલ 20 અને 23 માર્ચ 2021 ના રોજ ડાયવર્ટ રૂટ પાલનપુર – ભીલડી – સામાખ્યાલી થઈને ચાલશે.

ટ્રેન નંબર 01192 પુણે – ભુજ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઇન્દોર સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી ઇન્દોર માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી બાંદ્રા ટર્મિનસ માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ 23 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી કેએસઆર બેંગલુરુ માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવશે.

ટ્રેન નંબર 01191 ભુજ-પુણે સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી પુણે માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશિયલ 23 અને 24 માર્ચ 2021 ના રોજ ડાઈવર્ટ રૂટ સામાખ્યાલી – ભીલડી – પાલનપુર થઇને ચાલશે તથા ભુજથી 17:05 વાગ્યે ચાલશે.

ટ્રેન નંબર 09116/09115 ભુજ-દાદર- ભુજ સ્પેશિયલ 21 થી 23 માર્ચ 2021 સુધી સંપૂર્ણ રદ રહેશે.

ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અને ટ્રેન નંબર 02973 ગાંધીધામ – પુરી સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ – ગાંધીધામ – અમદાવાદ વચ્ચે આંશિક રુપે રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *