દર્શન કરવા જતાં બે યુવક સુખપર નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયાં

Contact News Publisher

દર્શન કરવા જતાં બે યુવક સુખપર નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયાં

ભચાઉ તાલુકાના સુખપર નજીક આવેલી નર્મદા કેનાલમાં બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બન્ને યુવાનોના મોત નિપજતા ચકચાર મચી ગઈ છે.

Watch a video of another news

આપ રેલવેમાં મુસાફરી કરતાં હો તો આટલું ચોક્કસ ધ્યાન રાખજો..

દુધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રેખાબેન સીસોદીયાંના જણાવ્યા પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના. અશોક હરજીભાઈ પરમાર ઉમર.૨૨ અને મૂળ રાધનપુરના જયેશ નાનજીભાઈ ચૌધરી ઉમર ૨૩ નામના યુવાનો ગાંધીધામથી કબરાઉ ખાતે બાઈકથી મોગલધામના દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે નર્મદા મેઈન કેનાલ નજીક જયેશ ગુટખાં થુંકતી વેળાએ અશોક પર પડતા તે કેનાલમાં શર્ટ ધોવા જતા સેવાળમાં પગ લપસતા અશોક ડૂબી ગયો હતો. તેને બચાવવા જતા જ્યેશ નામનો યુવક પણ ડૂબ્યો હતો. આ યુવાનો કેનાલમાં ડૂબી જતા મોતને ભેટયા હતા.

સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હતભાગીઓના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં બની હતી.
ઘટના અંગે ભચાઉ અને ગાંધીધામ ફાયર બ્રિગેડ જાણ કરાતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બે યુવાનો ગાંધીધામમાં આવેલી રાજહંસ સિનેમામાં કામ કરતા હતા, મોતથી પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ છે.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

ભુજ બ્યુરો

9725206123 / 24 / 32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *