અંજાર – વ્યાજખોરોના વધતા જતા ત્રાસ થી ડી વાય એસ પી કચેરીએ લોક દરબાર નું આયોજન.

Contact News Publisher

અંજાર – વ્યાજખોરોના વધતા જતા ત્રાસ થી ડી વાય એસ પી કચેરીએ લોક દરબાર નું આયોજન.
અંજાર ગાંધીધામ આદિપુર વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસ વધી જતા ડી વાય એસ પી મુકેશ ચૌધરી દ્વારા તેમની કચેરીએ વ્યાજે લીધેલા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજ આપનાર સામે ફરિયાદ કરવા જણાવ્યું હતું.
આજે ડી વાય એસ પી કચેરી ખાતે અલીભાઈ મોહમ્મદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું,કે અંજારમાં વ્યાજખોર રિયા ગોસ્વામી સહિત તેમના ચાર સાગરીત દ્વારા મારા પુત્રને મળવા મજબૂર કર્યો હતો.

Click to see other news

સુખપર બંધ મકાનમાંથી લાખોની ચોરી ,

ચોર આપી રહ્યા છે પોલીસને પડકાર :

.આ બનાવને દોઢ મહિનો જેવા સમય થયો હોવા છતાં પણ પોલીસ દ્વારા આ વ્યાજખોરોને પકડવામાં આવ્યા નથી.તો તાત્કાલિક પકડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
આદિપુર વિસ્તારમાંથી આવેલ લલિત ઉમેશ લાલવાણી ઢાકા રાજેન્દ્રસિંહ,ઉમેશભાઈ લાલવાણી,મહેશકુમાર ખેમચંદ ભાઈના એ ગાંધીધામ દીવ્ય વિજય મહાદેવ મજીઠીયા વિરુદ્ધ ફરિયાદો આપી હતી.
તેઓએ જણાવ્યું હતું કે અમોએ લીધેલી રકમ આપી દીધેલ હોવા છતાં પણ અમારી પાસેથી વધારે રકમ પડાવવા માટે અમને વારંવાર મારઝૂડ કરી ત્રાસ આપે છે.

અહેવાલ :

નીરવ ગોસ્વામી ,

ગાંધીધામ- અંજાર બ્યુરો,

માઁ આશાપુરા ન્યુઝ.

Maa news live (All Social Media)

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *