નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સટેબલ પર થયો જીવલેણ હુમલો..
નારાયણ સરોવર પોલીસ સ્ટેશન થી મળતી માહિતી અનુસાર ના.સ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કરણભાઈ નટવરલાલ ચાંગેચા પર લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એ તલવાર વડે હુમલો કરતા ઘાયલ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ને મળેલી ફરિયાદ અનુસાર અપનાનગર કોલોની વિસ્તારમાં લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એક રહેણાક મકાનમાં પોતાની પ્રેમિકા સાથે ઝઘડો કરતો હોય સ્થાનિકો ને પરેશાની થતાં તેમણે રજૂઆતો કરી તેમ છતાં લલીતભાઈ રહેવાસીઓને વધુ પરેશાન કરતો હતો જે સંદર્ભે પોલીસ સ્ટાફ તેમજ મહિલા પોલીસ અને હોમગાર્ડ સ્થાનિકે જઈ એ ઘર નો દરવાજો ખખડાવતા હુમલાખોર લલીતભાઈ એ કોન્સટેબલ કરણભાઇ પર તલવાર વડે હુમલો કરતાં તલવાર હાથના ભાગે વાગતા ઇજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર માટે પાનધ્રો સ્થિત જી.ઈ.બી. હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીધામ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોર અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુન્હો નોંધી ને બંને ની અટક કરી ને આગળ ની તપાસ હાથ ધરી છે. અહેવાલ અને તસવીર – હિતેશ જોશી લખપત