અમદાવાદમાં ડેન્ગ્યુનો આતંક: 3 દિવસમાં 2 દર્દીઓ મોતને ભેટ્યાં

Contact News Publisher

અમદાવાદમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યું થયું છે. ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્યારે 10 દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે.  વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.  જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે.