અંજાર ના વલાડિયા ગામના યુવકે ગળેફાંસો ખાવાનો કર્યો પ્રયત્ન..

Contact News Publisher

હાલના સમયમાં શિખામણ લેવી કોઈને ગમતી નથી અને તેમાં પણ જો કોઈ સારી વસ્તુ સમજાવે એટલે સીધું મોત ને વ્હાલું કરવું એતો પ્રાથમિક બાબત હોય તેવું લાગે છે. અંજાર તાલુકાના વલાડીયા ખાતે રહેતા રાજાભાઈ તેજાભાઈ આહીરનો ૧૮ વર્ષીય દીકરો કિશોર ગત તા. ૧૯-૧૨-૧૭ ના રોજ આપઘાત કરવાનો પ્રયાસ કરી ચુક્યો હતો. રાજાભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે અમારા દીકરા કિશોરને કામ ધંધો કરવા અર્થે સમજાવતા તેણે આ વાત નું મનદુઃખ લગાડી અને આવેશમાં આવી ને તેણે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કરેલ હતો. જેની પ્રાથમિક સારવાર માટે તેમને આદિપુર સ્થિત હરી ઓમ ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવેલ હતો અને હાલ વધુ સારવાર માટે ભુજ ખાતેની જી.કે. જનરલ માં લઇ અવાયો છે અને હાલ કિશોર કઈ બોલી શકતો નથી તેમજ વધુ માં તેની સારવાર ચાલુ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *