તસ્કરો એ માધાપરના ગોકુલધામને બનાવ્યું નિશાન, કરી ૫૨,૦૦૦ ની ચોરી..
Contact News Publisher
થોડા સમયથી ભુજ અને તેની આસપાસનો વિસ્તાર તસ્કરો માટે ચોરીનું કેન્દ્ર બિંદુ રહ્યું હોય તેવું જણાઈ આવે છે. થોડા સમય અગાઉ ભુજ માં પણ ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા હતા અને હાલ માં જ એટલે કે ગત રાત્રે ભુજ ની અડોઅડ આવેલ માધાપર ખાતે આવેલ ગોકુલધામ સોસાયટી ના ૩ બંધ મકાનોને તસ્કરો એ નિશાન બનવ્યા હતા. જેમાંથી બે મકાન માં તેઓ નિષ્ફળ ગયા હતા જયારે જેમાંથી એક બંધ મકાન માંથી તસ્કરો કબાટમાં પડેલી ૨૦,૦૦૦ ની કિમતની સોનાની ૮ બુટીઓ, ૨૦,૦૦૦ ની કિમતની સોનાની ૭ વીંટીઓ, ૫,૦૦૦ ની કિમતના ચાંદીના ચાર સાંકળા અને ૭,૦૦૦ ની કિમતનું મંગળસૂત્ર ની ચોરી કરી ગયા હતા. શિક્ષક એવા આનંદ અંબાલાલ વણકર ના બંધ મકાન માંથી આ ૫૨,૦૦૦ ની ચોરી થઇ હતી.