ઘી માં ભેળસેળ કરવા સબબ ભુજના વેપારી સામે કરાઈ ‘પાસા’ ની દરખાસ્ત..

Contact News Publisher

ભુજના વાણીયાવાડ ખાતે આવેલ મહેશ દૂધ કેન્દ્ર માં ગત આઠમી નવેમ્બરે ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો જેમાં અંદાજે ૪.૫૦ લાખ રૂપિયા ની કિમત જેટલો ઘી નો જથ્થો સીઝ કરીને તેના નમુના લીધા હતા અને લેવાયેલ ભેંસના ઘીના બે અલગ અલગ સેમ્પલ માં વનસ્પતિ ઘી ની ભેળસેળ કરાઈ હોવાનો રીપોર્ટ આવતા તેના વિરુધ કાર્યવાહી કરાઈ છે. આ દૂધ કેન્દ્રનો સંચાલક અગાઉ પણ આવા કારનામાં માં પકડાઈ ચુક્યો છે અને તેના પર ૧.૬૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. પરંતુ વારંવાર આવી ઘટના બનતા હવે આ દૂધ કેન્દ્રના સંચાલક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા કલેકટર કચેરી ખાતે દરખાસ્ત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *