સદગુરુ કેશવપ્રસાદ દાસજી સ્વામી ભગવાનના ધામમાં પધાર્યા..

Contact News Publisher

સદગુરુ દેવચરણ સ્વામીના શિષ્ય એવા સ્વામીનારાયણ મંદિર ભુજ મંદિરના સંત સદગુરુ કેશવપ્રસાદ દાસજી સ્વામી ૮૫ વર્ષની વયે ભગવાનના અક્ષ્રરધામમાં પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી નારાયણ મુની દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જ્યોતીષ્યજ્ઞ એવા કેશવપ્રસાદ દાસજી સ્વામી મંદિર માંથી નીકળતું પંચાગ જેને 'નિર્ણય' કહેવામાં આવે છે તેનું સંપૂર્ણ કામ સંભાળતા. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છમાં તેમજ વિદેશમાં અનેક મંદિરનો ની પ્રાણપ્રતિષ્ઠા થઇ ચુકી છે.તેઓ ૬૫ વર્ષ સુધી સંત દિક્ષા માં રહ્યા હતા અને આજે એટલે કે ૨૨-૧૨-૨૦૧૭ને શુક્રવારના વહેલી સવારે ૧.૫૦ કલાકે તેઓ ધામ માં પધાર્યા હતા. તેમના ભક્તોમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમના ભક્તો દેશ તેમજ વિદેશ અનેકો છે. સંતશ્રીની પાલખી યાત્રા કાલે એટલે કે ૨૩-૧૨-૧૭ ના સવારે ૯ કલાકે ભુજ મંદિર થી પ્રયાણ કરશે અને સંતોના અંતિમ સ્થાન ખાતે લઇ જવાશે. અહેવાળ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *