અબડાસાના તેરા ખાતે થી મળી બિદડાના નિવૃત શિક્ષક લાશ..
Contact News Publisher
હાલ માંડવી તાલુકાના બિદડા ખાતે સ્થાયી થયેલા અને નિવૃત શિક્ષક એવા મોહનલાલ દયાશંકર ગોર ની લાશ અબડાસાના તેરા ગામની સીમમાં બાવળની ઝાડીમાં લટકતી હાલતમાં મળી આવી છે. આ ૭૫ વર્ષીય મૃત વૃદ્ધની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મોહનલાલે અબડાસાના બારા ગામમાં અગાઉ વર્ષો સુધી શિક્ષક તરીકે નોકરી કરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર એક સપ્તાહ અગાઉ તેઓ લાપતા બન્યા હતા અને મૃતક એવા મોહનલાલની ગુમનોંધ માંડવી પોલીસ મથકે નોંધાઈ હતી. ઘટના અંગે જાણ થતા નલીયા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહેવાલ અને તસ્વીર-રમેશ ભાનુશાળી નલીયા