આમારા તા. નખત્રાણા માં આગથી દાઝી જતા પરિણીતાનું મોત..
Contact News Publisher
મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના આમારા ખાતે રહેતી રીઝવાના ગફૂરશા સૈયદનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું. ૨૭ વર્ષીય રીઝવાના ગત તા. ૮-૧૨ ના રોજ પ્રાયમસ પર ચા બનાવી રહી હતી ત્યારે અચાનક આગનો ભડકો થતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી પરિવારે તેને ભુજ ખાતે ની જી.કે. જ્નરલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. આજ સવારે સારવાર દરમ્યાન તેનું ૯.૫૦ કલાકે મૃત્યુ નીપજ્યું હતું. પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ હતી. અહેવાલ-કિરણ ગોરી