દેશવાસીઓ માટે દુખદ સમાચાર: જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આંતકીઓ સાથે મૂઠભેડમાં બે જવાન શહીદ
Contact News Publisher
જમ્મૂ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની ફાયરિંગ દરમિયાન સેનાનાં 2 જવાનો બુધવારે શહીદ થયાં છે. પોલીસે કહ્યું કે સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઘેરી લીધું છે.
પોલીસે જણાવ્યું કે ધર્મસાલનાં બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી અને તપાસ દરમિયાન આતંકવાદીઓ સાથે મુઠભેડ શરૂ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે મુઠભેડમાં એક અધિકારી, એક સૈનિકનો જીવ ગયો જ્યારે એક અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયાં છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે, “સુરક્ષા દળોની એક ટીમ રાજૌરીના બાજી માલ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતી ત્યારે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો અને ગોળીબાર શરૂ થયો હતો.”