૮ દિવસ અગાઉ અંજાર ખાતે થયેલ યુવકને ડામ દેવામાં આવેલ હતા એ યુવકનું મોત..

Contact News Publisher

૮ દિવસ અગાઉ અંજાર ખાતે અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને અમુક ઇસમોએ એક યુવક ને લોંખંડના સળિયા વડે આખા શરીરમાં ડામ દીધા હતા. આ ઘટના એ સમગ્ર કચ્છમાં ચર્ચા પકડી હતી. યુવકની હાલત ગંભીર હોતા તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેની સારવાર ચાલતી હતી અને આજે મળતી માહિતી અનુસાર તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ કેસ સંદર્ભે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે અને એ દરમ્યાન યુવકનું મોત નીપજયું છે. યુવકના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી છે. અહેવાલ – કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *