આનંદો… આ વર્ષે મળશે નવરાત્રી વેકેશન……રાજય સરકારે મંજુરી આપી.

Contact News Publisher
શાળાઓમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓને નવરાત્રીનું વેકેશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શૈક્ષણિક કેલેન્ડર 2018-19માં રાજ્યની સરકારી તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે. આ વેકેશન 30-9-2019 થી 7-10-2019 સુધી રહેશે.
નવરાત્રી દરમિયાન આઠ દિવસની રજા આપવાનું હોવાથી તેની અસર દિવાળી વેકેશન પર જોવા મળશે. આ વર્ષે દિવાળી વેકેશન 13 દિવસનું રહેશે. શાળાઓમાં 25-10-2019થી 6-11-2019 સુધી દિવાળી વેકેશન રહેશે. ત્યાર પછી રાબેતા મુજબ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે.
ગત વર્ષે નવરાત્રી દરમિયાન વેકેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે પણ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ શિક્ષણ બોર્ડ સામે નવરાત્રી વેકેશન બંધ કરવાનો એજન્ડા લાવવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રી વેકેશન આપાવનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *