મહારાષ્ટ્રની કેમિકલ ફેક્ટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતા ૨૦ લોકોના મોત

Contact News Publisher

મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા ૨૦ લોકોના મોત નિપજ્યા છે. ધુલેના શાહપુર ગામ પાસેની કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ ધડાકાભેર બોઇલર ફાટી નીકળ્યું. આ ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે 5 થી 10 કિલોમીટર દુર સુધી સંભળાયો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિકોના મતે આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે 100થી વધુ લોકો તેમા કામ કરી રહ્યા હતા. જેથી મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે. ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે. અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News