મેઘપર બોરીચીમાં હત્યા : રમેશ ઠક્કરની હત્યાનો ભેદ હજુ અકબંધ
મેઘપર બોરેચીનાં રહેવાસી રમેશભાઈ જયંતીલાલ ઠકકર ઉંમર વર્ષ 38ની હત્યા કરવામાં આવી છે, મૃતદેહ વહેલી સવારે ઓધવરામ સોસાયટી-2 પાસેથી મળી આવ્યો હતો. મૃતદેહને પી.એમ માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર રમેશ આશરે 300 વાર નાં પ્લોટમાં ઘરમાં રહેતો હતો , આ જ પ્લોટમાં ઉદ્યોગનું કામકાજ પણ કરવામાં આવતું હતું, આ જગ્યા માનવ વસ્તીથી થોડે દુર હોવાનું જાણવા મળેલ છે ,તેમજ રમેશ ઠક્કરનાં ઘરની આગળ થોડી માનવ વસ્તી છે , પણ પાછળ નાં ભાગે કોઈ રહેતું નથી. થોડાં સમય પહેલાં રમેશ ઠક્કરનાં છૂટાછેડા થયા હોવાનું જાણવા મળેલ છે.
આસપાસના લોકોનું કહેવું છે કે રાતે થોડી ચહલપહલ રમેશના ઘર પાસે જોવા મળી હતી , પણ હત્યા કોણે કરી એ હજુ પણ ભેદ જ છે.
પોલીસે જણાવ્યું છે કે રમેશ પોતાનાં બાળકો સાથે ઓરડીમાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સો રમેશભાઈનાંગળામાં પહેરેલી આશરે 30 હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઈન અને એમઆઈ કંપનીનો મોબાઈલ ફોન પણ લૂંટારા લૂંટી ગયાં છે. હાલ માતા પિતા વગર 3 બાળકો નોંધારા થઈ ગયા છે
હત્યા શા માટે અને કોણે કરી એ હાલ રહસ્ય છે , પોલીસ તપાસ બાદ વિગતો મળી શકશે, હાલ હત્યા નાં આ સમાચાર થી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
– અંજાર પોલીસ (પૂર્વ કચ્છ પોલીસ) તપાસ હાથ ધરી છે.
તસવીર અને અહેવાલ : અસલમ મથડા.
મા ન્યુઝ – ગાંધીધામ.
Youtube : maa news live
Android App : maa news live
Whatsapp : 94287 48643
97252 06127
Now you watching
Maa news
On
Daily hunt
app