કચ્છમાં શિક્ષકો માટે આજથી શાળા શરૂ, વિધાર્થીઓ માટે ૧૫ ઓગસ્ટ બાદ ખુલશે
કચ્છમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧નો પ્રારભં થઈ ગયો છે. રાજયની શાળા શિક્ષકો માટે આજથી શરૂ થઈ ચૂકી છે જયારે વિધાર્થીઓ માટે ૧૫ ઓગસ્ટ બાદ જ શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય રાજયના શિક્ષણ મંત્રાલય દ્રારા કરવામાં આવ્યો છે. વિધાર્થીઓના શિક્ષણને માઠી અસર ન થાય તે માટે ઈ-લર્નિગ, બાયસેગ તેમજ દૂરદર્શન મારફતે કરાવવા શૈક્ષણિક સંસ્થાઓ સહમત થઈ ચૂકી છે.
કોરોનાએ કચ્છ સહિત રાજ્યમાં શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમની એસીકી તૈસી કરી નાખી છે. સરકાર દ્રારા કેન્દ્રની ગાઈડ-લાઈન મુજબ ૧૫ ઓગસ્ટ બાદ જ શાળાએ વિધાર્થીઓ આવી શકશે કોરોનાના રોગચાળાના કારણે પ્રથમ વખત પાંચ મહિના કરતા વધુ સમય માટે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બધં છે. આ ગાળા દરમિયાન બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે બાળકોની સુરક્ષા મહત્વની છે. શાળા શરૂ કરતા પહેલા વાલીઓ-શૈક્ષણિક સંસ્તાના સંચાલકો તેમજ શિક્ષણવિદો સાથે પરામર્શ કર્યા બાદ જ ૧૫ ઓગસ્ટ બાદ શૈક્ષણિક કામગીરી શરૂ કરવામાં આવશે. શાળામાં ભણતા વિધાર્થીઓને સમયસર પુસ્તકો પહોંચાડવા તેમજ ઈ-લર્નિગની વિશિષ્ટ્ર જવાબદારી શાળાના શિક્ષકો દ્રારા નિભાવવામાં આવશે તેવી ખાતરી રાજયના શિક્ષણ મંત્રી દ્રારા આપવામાં આવી છે.
14 thoughts on “કચ્છમાં શિક્ષકો માટે આજથી શાળા શરૂ, વિધાર્થીઓ માટે ૧૫ ઓગસ્ટ બાદ ખુલશે”