માંડવીના મોટા આસંબિયામાં વીજળી પડવાથી માલધારી સહિત ૧૧ ઘેટાં-બકરા મોત
Contact News Publisher
કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાંનો દોર ચાલી રહ્યો છે તેવામાં ગતરોજ માંડવી તાલુકાના મોટા આસંબીયામાં વિજળી પડવાથી માલધારીનું મોત થયું છે. ગઈકાલ બપોર બાદ આ બનાવ બન્યો હોવાનું અનુમાન છે.
માલધારીની સાથે તેમના 11 ઘેટા બકરાના પણ મોત નિપજ્યા છે મૃતક નું નામ લંગાયા દાઉદ મામદ છે સવારે સીમાડામાં ગયેલ માલધારી સાંજ સુધી ઘરે પાછા ન ફરતા ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી મોડી સાંજે તેમનો મૃતદેહ ગામના સીમાડા માંથી મળી આવ્યો હતો મૃતદેહની પાસેજ તેમના ઘેટાં બકરા પણ મૃત હાલતમાં મળી આવ્યા છે.