વિવાદોની વચ્ચે ઉર્વશી સોલંકીનો વધુ એક વિવાદ, તરણેતરના મેળાને ગણાવ્યો પરણેતરનો મેળો

Contact News Publisher

 નવરાત્રી ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવિદાસ્પદ નિવેદન મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે,  શ્રદ્ધા ભક્તિના પાવન પર્વ નવરાત્રીનું ભાન ન રાખી ઉર્વશી સોલંકીએ ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરી લેવાની સલાહ આપ્યા બાદ હવે બચાવ કર્યો છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, હું હિંદુ ધર્મને સાથે લઈને ચાલનારી વ્યક્તિ છુ, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે. આ સાથે ઉર્વશી સોલંકીના નિવેદનની વધુ એક વિવાદ શરૂ થયો છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, તરણેતરનો મેળો એ તરણેતરનો મેળો નહિ પરંતુ પરણેતરનો મેળો છે.