અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના AAP માંથી રાજીનામું આપ્યું

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચુંટણી પહેલા જ આ બંને નેતાઓએ રાજીનામું ધરી દેતાં આપ માટે આ મોટો ફટકો ગણી શકાય છે.

સુરતથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAPમાંથી રાજીનામું ધરી દીધું છે. આજે આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. વિગતો મુજબઅલ્પેશ કથીરિયા  સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. આ સાથે 2022માં વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા ચૂંટણી લડ્યા હતા. જોકે અચાનક લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ કથીરિયાનો AAPથી મોહભંગ થયો છે.