ખાલિસ્તાનીઓ દ્વારા લંડનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન, ત્રિરંગા પર આગ ચાંપી દીધી

Contact News Publisher

ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શનો યોજયા હતા. જેમા  2જી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતિ જ પસંદ કરવામાં આવી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયેલા ખાલિસ્તાનિઓએ ઝંડા લહેરાવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સંગઠન દલ ખાલસા યુકેનો ગુરચરણ સિંહે પણ જોડાયો હતો. જેને ભારતના ત્રિરંગા પર આગ ચાંપી દીધી હતી. આ સિવાય ગૌમૂત્રનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વધુમાં તમણે બ્રિટનના વડા ઋષિ સુનકને પણ ગૌમૂત્ર પીવા કહ્યું હતું.