મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ: નાગપુરમાં 24 જ કલાકમાં 25ના મોત

Contact News Publisher

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં ઓછામાં ઓછા 18 મૃત્યુ નોંધાયા હતા. મરાઠવાડાના નાંદેડમાં ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા હતા, જેમાં 48 કલાકમાં મૃત્યુની કુલ સંખ્યા 31 થઈ ગઈ હતી.