સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં AAPનું વિરોધ-પ્રદર્શન

Contact News Publisher

દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. ગઈ કાલે લીકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓ તેમની ધરપકડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. દિલ્હી, મુંબઈ અને પૂણેમાં અનેક સ્થળોએ ધરણા અને પ્રદર્શન જોવા મળ્યુ હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ બીજેપીએ પણ દિલ્હીની કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો અને આજે રાજઘાટ પર શાંતિપૂર્વક ધરણા કર્યા હતા. આ અગાઉ કાલે બીજેપીએ ગઈ કાલે AAP કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું.મુંબઈમાં અનેક કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાં AAP કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોદ કર્યો હતો. ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આજે સવારથી જ AAP મુખ્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓના પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અહીં AAP નેતાઓએ સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. નેતાઓના સંબોધન બાદ પ્રદર્શનકારીઓએ ભાજપ મુખ્યાલય તરફવ માર્ચ કરી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં ‘સંજય સિંહ નહીં ઝૂકેગા’ અને ‘I.N.D.I.A’ના પોસ્ટર હતા. સંજય સિંહના પિતા પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.